ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વોટર IDને આધાર સાથે લિંક નથી કરાવવુ તો પંચ સમક્ષ હાજર થવું પડશે

11:42 AM Mar 26, 2025 IST | Bhumika
Advertisement

ચૂંટણી નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી ખુલાસો કરવો પડશે

Advertisement

એક સપ્તાહ પહેલા ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આધાર કાર્ડ અને વોટર આઈડીને એકસાથે લિંક કરવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણી પંચ, ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય, આઈટી મંત્રાલય અને આધારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી મતદાર યાદીમાં ગેરરીતિનો મુદ્દો પણ ઉઠી રહ્યો હતો. દરમિયાન, ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે જો કોઈ વ્યક્તિ આધાર નંબર આપવાનો ઇનકાર કરે છે, તો તેણે તેનો વિગતવાર ખુલાસો કરવો પડશે.

આધાર નંબર શેર કરવાનો ઇનકાર કરનાર મતદારે આ માહિતી શેર ન કરવાનું કારણ સમજાવવા માટે ચૂંટણી નોંધણી અધિકારી (ઊછઘ) સમક્ષ રૂૂબરૂૂ હાજર થવું પડશે. વિવાદાસ્પદ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય દેખીતી રીતે કોર્ટમાં ચૂંટણી પંચના સ્ટેન્ડની પુષ્ટિ કરવાનો છે કે આધારની જાહેરાત સ્વૈચ્છિક છે.

ERO (સામાન્ય રીતે સિવિલ સર્વિસ/મહેસુલ અધિકારી) ને છઙ તરીકે ઓળખવામાં આવે છે. અધિનિયમ 1950 ની કલમ 13ઇ હેઠળ, વિધાનસભા મતવિસ્તારો માટે મતદાર યાદી તૈયાર કરવા, અપડેટ કરવા અને સુધારવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને ERO નામાંકિત કરવામાં આવે છે.
હાલમાં, 2023 સુધી, ચૂંટણી પંચ દ્વારા 66 કરોડથી વધુ મતદારોના આધાર ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે, જેમણે સ્વેચ્છાએ આ માહિતી આપી હતી. પરંતુ આ 66 કરોડ મતદારોના બે ડેટાબેઝને જોડવામાં આવ્યા નથી. એટલે કે, અત્યાર સુધી આધારનો ઉપયોગ ડુપ્લિકેટ એન્ટ્રીઓ દૂર કરવા અથવા મતદાર યાદીઓની સફાઈ માટે કરવામાં આવ્યો નથી. કુલ અંદાજિત 98 કરોડ નોંધાયેલા મતદારો છે.

ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ મંત્રાલય, કાયદા મંત્રાલય, ઈંઝ મંત્રાલય અને ઞઈંઉઅઈંના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવી હતી કે જે મતદાર પોતાનો 12-અંકનો આઇડેન્ટિફિકેશન નંબર આપતો નથી તેણે ERO સમક્ષ રૂૂબરૂૂમાં ખુલાસો આપવો પડશે. આ પ્રસ્તાવને સંશોધિત ફોર્મ 6ઇનો ભાગ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

જે લોકો સ્વેચ્છાએ ચૂંટણી પંચને આધારની માહિતી આપશે તેને તેના ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે. આ કામ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) મુજબ કરવામાં આવશે. આ અધિનિયમ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે મતદારો તેમની સ્વતંત્ર ઇચ્છાથી તેમનો આધાર નંબર સબમિટ કરી શકે છે અને જો તેઓ આધાર માહિતી ન આપે તો કોઈને પણ મતદાર યાદીમાં સમાવેશ કરવાથી રોકી શકાશે નહીં અથવા દૂર કરી શકાશે નહીં.

Tags :
Aadhaar cardindiaindia newsvoter ID
Advertisement
Next Article
Advertisement