ધનખરના રાજીનામાના 24 કલાકમાં જ હરિવંશ નારાયણે રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત, હરિવંશને મળશે મોટી જવાબદારી?
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ આજે (22 જુલાઈ 2025) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર ઉપાધ્યક્ષની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
https://x.com/rashtrapatibhvn/status/1947611233139728686
શું હરિવંશ નારાયણને મોટી જવાબદારી મળશે?
નિયમ મુજબ, રાજ્યસભાના અધ્યક્ષ પદ ખાલી થયા બાદ, હરિવંશ નારાયણને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી છે. આવી સ્થિતિમાં, તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ, આગામી ઉપરાષ્ટ્રપતિ અંગે દેશભરમાં સંભવિત ચહેરાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હરિવંશ નારાયણ હવે આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ ભવને મુલાકાતની તસવીર શેર કરી અને X પર લખ્યું, "રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા." સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ ધનખડે અચાનક રાજીનામું આપી દીધું, ત્યારબાદ મંગળવારે રાજ્યસભામાં સવારના સત્રની કાર્યવાહી હરિવંશ નારાયણે ચલાવી.
ધનખડના રાજીનામા પર વિપક્ષે આશ્ચર્ય વ્યક્ત કર્યું
ઉપપ્રમુખ પદેથી જગદીપ ધનખડના રાજીનામાના એક દિવસ પછી, મંગળવારે, ઘણા વિપક્ષી નેતાઓએ આ પગલા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને રાજીનામાના કારણો અંગે અટકળો ચાલુ છે. કોંગ્રેસે કહ્યું કે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું કેમ આપ્યું?