રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત મહી ડેમનું પાણી આપતું નથી, રાજસ્થાન સરકારે કેન્દ્રમાં લગાવી ગુહાર

11:40 AM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મધ્યપ્રદેશ સાથે ઊછઈઙ અને હરિયાણા સાથે યમુના જળ વહેંચણી કરાર અંગેના વિવાદને ઉકેલ્યા બાદ હવે રાજસ્થાન સરકારની નજર ગુજરાત અને પંજાબ ાથેના કરાર પર છે. બંને રાજ્યોમાંથી રાજસ્થાનમાં પાણી આવવું પડે છે, પરંતુ ઘણા દાયકાઓ વીતી જવા છતાં સ્થિતિ યથાવત છે.

ગુજરાતે તેના હિસ્સાનું 40 ટીએમસી પાણી લેવાનું છે અને રાવી અને બિયાસ નદીનું બાકીનું પાણી પંજાબમાંથી લેવું પડશે. જળ સંસાધન વિભાગે આ બાબતે ગુજરાત અને પંજાબ બંને સરકારોનું અનેક વખત ધ્યાન દોર્યું છે. સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે જલ શક્તિ મંત્રાલય પણ આ મામલે સક્રિય છે, જેથી રાજસ્થાનને તેના હિસ્સાનું પાણી મળી શકે. જો વિવાદનો ઉકેલ આવશે તો ડુંગરપુર, બાંસવાડા ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનના મોટા વિસ્તારને પાણી મળી શકશે.

10 જાન્યુઆરી 1966ના રોજ રાજસ્થાન અને ગુજરાતની સરકારો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ગુજરાત સરકાર સાથે મહી ડેમ બનાવવાના ખર્ચના 55 ટકા ચૂકવવા અને 40 ટીએમસી પાણી લેવાનો કરાર થયો હતો. જ્યારે નર્મદાનું પાણી ગુજરાતના ખેડા જિલ્લામાં પહોંચશે ત્યારે રાજસ્થાનના મહી ડેમનું પાણી ગુજરાત નહીં વાપરે અને તે પાણી રાજસ્થાનમાં જ વાપરવામાં આવશે.વર્ષો પહેલા નર્મદાનું પાણી ખેડા સુધી પહોંચ્યું હતું. આમ છતાં કરારનું પાલન થતું નથી અને ગુજરાતે મહીના પાણી પર પોતાનો અધિકાર જાળવી રાખ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રીઓએ દિલ્હી ઘણી વખત આબાબતે રજૂઆતો કરી છે.આ અંગે જળ સંસાધન વિભાગ (મુખ્ય ઈજનેર) ભુવન ભાસ્કરે જણાવ્યું હતું કે, પણ જળ વહેંચણી કરારો થયા છે તે સરકારના ખ્યાલમાં છે. ગુજરાત અને પંજાબ સાથે થયેલા કરારો પર પણ વાતચીત ચાલી રહી છે. આમાં ઉકેલ શોધવામાં આવી રહ્યો છે.

Tags :
gujaratgujarat newsindiaindia newsMahi DamRajasthanRajasthan news
Advertisement
Next Article
Advertisement