ગાંધીનગર અક્ષરધામ મંદિર હુમલાના માસ્ટરમાઈન્ડ ઘોરી વીડિયોમાં દેખાયો: ભારત સામે યુદ્ધની હાકલ કરી
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી ફરહતુલ્લા ઘોરીનો 22 વર્ષ બાદ વીડિયો સામે આવ્યો છે અને તેમાં ભારત વિરોધી ઝેર ઓકી ભારત વિરોધી યુધ્ધની હાકલ કરતો દેખાતા ભારતીય એજન્સીઓ એલર્ટ બની છે.
પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ (ઉંયખ) માટે આતંકવાદી ભરતી કરનાર અને ફાઇનાન્સર ફરહતુલ્લા ઘોરીએ દેશમાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતા આતંકવાદી પ્રચારના વીડિયોને વિસ્તૃત કરવા માટે ફેસબુક, ટેલિગ્રામ અને યુટ્યુબ પરના એકાઉન્ટ્સના નેટવર્કને નિશાન બનાવ્યું હતું. એક નવો વીડિયો સામે આવ્યો છે. 22 વર્ષ પછી સામે આવ્યો છે.ગૃહ મંત્રાલયે ઞઅઙઅ કાયદા હેઠળ ફરહતુલ્લા ગોરીને ‘આતંકવાદી’ જાહેર કર્યો છે અને તેનું નામ 38 હાર્ડકોર આતંકવાદીઓની યાદીમાં 18મા સ્થાને છે. જાન્યુઆરી 2004માં તત્કાલિન ભાજપના પ્રદેશ પ્રમુખ નલ્લુ ઈન્દ્રસેન રેડ્ડીની નિષ્ફળ હત્યાના કાવતરામાં તેનું નામ સામે આવ્યું હતું અને ત્યાર બાદ પોલીસે 12 ઓક્ટોબર, 2005ના રોજ બેગમપેટ ટાસ્ક ફોર્સની ઓફિસ આત્મઘાતી બોમ્બ ધડાકા અને ગુજરાતઅક્ષરધામ મંદિર પરના હુમલામાં પણ તેની સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.
ફરહતુલ્લા ઘોરી, જેને અબુ સુફીયાન, સરદાર સાહેબ અને ફારૂૂક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 2002માં અક્ષરધામ મંદિર પરના હુમલા અને 2005માં હૈદરાબાદમાં ટાસ્ક ફોર્સની ઓફિસ પર આત્મઘાતી હુમલા સહિત હાઈ-પ્રોફાઈલ હુમલાઓ સાથે જોડાયેલો છે. તેને ગૃહ મંત્રાલય (ખઇંઅ) દ્વારા આતંકવાદી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે અને તે ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા વોન્ટેડ છે. તાજેતરમાં, ગઈંઅ ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ઈંજ પ્રાયોજિત મોડ્યુલનો એક ભાગ, મોહમ્મદ શાહનવાઝ આલમ અને તેના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ગોરીની ગતિવિધિઓ જાહેર કરી હતી. ઓનલાઈન જેહાદ માટે ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં તેની સંડોવણી બહાર આવી છે. ગુજરાતનો રહેવાસી ગૌરીનો ઓનલાઈન પ્રવૃત્તિઓ તપાસમાં આવી છે. તે યુટ્યુબ પર ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી ભાષણો પોસ્ટ કરતો જોવા મળે છે. તેની ઓનલાઈન સામગ્રીમાં તે યુવાનોને જેહાદમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરે છે. બે દિવસ પહેલા જ જાહેર કરવામાં આવેલા એક વીડિયો નિવેદનમાં ફરહતુલ્લા ઘોરીનો અવાજ સાંભળી શકાય છે.