ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બનાવશે નવી પાર્ટી, દિલ્હીથી પરત ફર્યા બાદ કરી મોટી જાહેરાત

06:11 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement

ઝારખંડના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આજે આખરે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને નવી પાર્ટી બનાવવાનું એલાન કરી દીધું છે. અગાઉ ચંપાઈ સોરેને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના બાયોમાંથી તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાનું નામ હટાવી દીધું હતું.

Advertisement

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ રાજકારણ નહીં છોડે. તેમણે કહ્યું છે કે તેમના માટે નવી પાર્ટી બનાવવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) નેતાઓના હાથે અપમાનનો સામનો કર્યા પછી તે પોતાની યોજના પર અડગ છે.

ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેને કહ્યું કે આ મારા જીવનનો એક નવો અધ્યાય છે. હું રાજકારણ છોડીશ નહીં. મને મારા સમર્થકો તરફથી ઘણો પ્રેમ અને સમર્થન મળ્યું છે. હું નવી પાર્ટી બનાવી શકું છું. જેએમએમમાંથી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. વિદ્યાર્થી જીવનથી જ મેં સંઘર્ષ કર્યો છે. પાર્ટીના સુપ્રીમો શિબુ સોરેનના નેતૃત્વમાં અલગ રાજ્ય માટેના આંદોલનમાં ભાગ લીધો.

ચંપાઈ સોરેને કહ્યું કે, જો તેમને સમાન વિચારસરણીનું સંગઠન મળે તો તેઓ કોઈની સાથે હાથ મિલાવી શકે છે. 18 ઓગસ્ટના રોજ X પરની તેમની પોસ્ટ વિશે, તેણે કહ્યું કે મેં તે જ પોસ્ટ કર્યું જે મને યોગ્ય લાગ્યું. મેં શું વિચાર્યું તે આખો દેશ જાણે છે. ભાજપમાં જોડાવાની અટકળો પર તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન રહીને તેમને ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અમને વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.

ચંપાઈ સોરેન ઝારખંડના દિગ્ગજ નેતાઓમાંના એક છે. તેમણે 1990ના દાયકામાં અલગ રાજ્યની લડાઈમાં ભાગ લીધો હતો. તેમના યોગદાન માટે તેમને 'ઝારખંડનો વાઘ' નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2000 માં, ઝારખંડને બિહારના દક્ષિણ ભાગથી અલગ કરીને બનાવવામાં આવ્યું હતું.

Tags :
Champai Sorenindiaindia newsJharkhandJharkhand newsnew partypolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement