ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાનપુરમાં 6 માળની ઇમારતમાં આગ: 6 જીવતાં ભડથું થયા

11:19 AM May 05, 2025 IST | Bhumika
Advertisement

ઉત્તર પ્રદેશના કાનપુરના પ્રેમ નગરમાં એક એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી જૂતાની ફેક્ટરીમાં રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. રસાયણોના કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તેણે બધા છ માળને પોતાની લપેટમાં લઈ લીધા. ઘરોમાં રાખેલા સિલિન્ડર, એસી અને કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થતાં વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આ અકસ્માતમાં છ લોકો જીવતા બળી ગયા હતા.

Advertisement

ફાયર ફાઇટરોએ જૂતાના વેપારી દાનિશ, તેમની પત્ની નાઝનીન અને ત્રણ પુત્રીઓ અને તેમને ભણાવવા આવેલા તેમના ટ્યુશન શિક્ષકના સળગેલા મૃતદેહોને બહાર કાઢ્યા, જેઓ ઇમારતની અંદર ફસાયેલા હતા. આગની ગંભીરતા જોઈને આસપાસની ઇમારતોને ખાલી કરાવવામાં આવી હતી. વીજળી પણ કાપી નાખવામાં આવી હતી.
મોડી રાત્રે પહોંચેલી 40 થી વધુ ફાયર એન્જિન અને SDRF ટીમ આગ ઓલવવામાં રોકાયેલી હતી. જો કે પરિવારના 4 લોકોને બચાવી લેવાયા હતા.

પ્રેમનગરના રહેવાસી અકીલનો મોટો દીકરો દાનિશ સેનાને જૂતા સપ્લાય કરે છે. તેમના છ માળના એપાર્ટમેન્ટની નીચે જૂતાની ફેક્ટરી છે. તે અને તેનો ભાઈ કાસિમ ઉપરના માળે રહે છે. રવિવારે ફેક્ટરી બંધ હતી. કાસિમ જાજમાઉમાં તેના સંબંધીના ઘરે ગયો હતો. ઘરમાં અકીલ, પુત્ર દાનિશ, તેની પત્ની નાઝનીન અને ત્રણ બાળકો ઉપરાંત, કાશિફનો પરિવાર રહેતો હતો. રાત્રે લગભગ 8:30 વાગ્યે, એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

Tags :
deathfireindiaindia newsKanpurKanpur news
Advertisement
Next Article
Advertisement