સંભલ મસ્જિદ એ જ હરિહર મંદિર હોવાના પુરાવા
સંભલની શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ મસ્જિદની અંદર કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદની અંદરથી 50 થી વધુ ફૂલોની કલાકૃતિઓ, બે વડના ઝાડ, એક કૂવો અને એક ઘંટ લટકતી લોખંડની સાંકળ પણ મસ્જિદની અંદરથી મળી આવી છે, જેમાં હાલમાં એક ઝુમ્મર લટકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરની રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
19 નવેમ્બરે શાહી જામા મસ્જિદની અંદર લગભગ દોઢ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે લગભગ ત્રણ કલાકની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ દરમિયાન 1200 જેટલા ફોટોગ્રાફ લેવામાં આવ્યા હતા. એડવોકેટ કમિશનનો સર્વે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એડવોકેટ કમિશનર રમેશ રાઘવે આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના ઘણા પુરાવા મળ્યા છે.
એટલું જ નહીં, સર્વે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જૂના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુંબજનો ભાગ સાદો રહ્યો છે. તેમજ તે જગ્યાએ નવા બાંધકામના પુરાવા પણ મળ્યા છે. મંદિરના આકારની રચનાને પ્લાસ્ટરથી રંગવામાં આવી છે. મસ્જિદની અંદર, જ્યાં એક મોટો ગુંબજ છે, ત્યાં ઝુમ્મરને તાર સાથે સાંકળ બાંધીને લટકાવવામાં આવ્યો છે. આવી સાંકળોનો ઉપયોગ મંદિરની ઘંટ લટકાવવા માટે થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિવાદિત સ્થળ પરથી તે સમયના મંદિરો અને મંદિરોમાં બનેલા પ્રતીકો પણ મળી આવ્યા છે. મંદિરના દરવાજા, બારીઓ અને સુશોભિત દિવાલોને પ્લાસ્ટર અને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે જૂના બાંધકામને છુપાવવામાં આવ્યું છે.
સરવે દરમિયાન હિંસા થઇ હતી
સંભલની શાહી જામા મસ્જિદ વિશે એવો દાવો કરવામાં આવે છે કે પ્રાચીન સમયમાં તે હરિહર મંદિર હતું. આ અંગેની અરજી 19 નવેમ્બર 2024ના રોજ સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તે જ દિવસે સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહે મસ્જિદની અંદર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રમેશ સિંહ રાઘવને એડવોકેટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તે જ દિવસે, સર્વેની ટીમ લગભગ 4 વાગ્યે મસ્જિદ પહોંચી હતી અને લગભગ બે કલાક સુધી સર્વે કર્યો હતો. જો કે તે દિવસે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ન હતી. આ પછી સર્વે ટીમ 24 નવેમ્બરે જામા મસ્જિદ પહોંચી. બપોરે મસ્જિદની અંદર એક સર્વે કરવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડે પોલીસ ટુકડી પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ અરાજકતાનો માહોલ સર્જાયો. આ દરમિયાન થયેલી હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા.