રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

'જેલમાં જાતિ-ધર્મ આધારિત કેદીઓ સાથેનો ભેદભાવ ખતમ કરો', ગૃહ મંત્રાલયનો તમામ રાજ્યોને આદેશ

02:07 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની જાતિ અને ધર્મના આધારે કેદીઓને અલગ ન કરવા જણાવ્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે આ આધાર પર તેમને જેલના રસોડાનું સંચાલન કરવા જેવા કામ આપવામાં આવતા ભેદભાવ બંધ થવો જોઈએ. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેટલાક રાજ્યોની જેલ મેન્યુઅલમાં કેદીઓને તેમની જાતિ અને ધર્મના આધારે અલગ રાખવાનો ઉલ્લેખ છે. આ જ આધારે તેમને જેલમાં કામ સોંપવામાં આવી રહ્યું છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે , “ભારતનું બંધારણ ધર્મ, જાતિ, જન્મસ્થળના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવને પ્રતિબંધિત કરે છે. ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ અને મે 2016માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરિત કરાયેલ મોડેલ પ્રિઝન મેન્યુઅલ, 2016, રસોડાનું સંચાલન કરવા અથવા ભોજન રાંધવામાં કેદીઓ સામે જાતિ અને ધર્મ આધારિત ભેદભાવને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે. ,

તેમાં કહેવામાં આવ્યું છે કે જેલ મેન્યુઅલમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચોક્કસ જાતિ અથવા ધર્મના કેદીઓના સમૂહ સાથે વિશેષ વ્યવહાર પર સખત પ્રતિબંધ છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે જો આવી કોઈ જોગવાઈ હોય તો મેન્યુઅલ અથવા કાયદામાંથી ભેદભાવપૂર્ણ જોગવાઈઓને દૂર કરવા અથવા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ પહેલા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો.

 

Tags :
Home Ministryindiaindia newsjail
Advertisement
Next Article
Advertisement