ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રામમંદિરના શિખરનું બાંધકામ પૂર્ણ: પૂજાપાઠ સાથે કળશ સ્થાપિત કરાયો

11:14 AM Apr 15, 2025 IST | Bhumika
Advertisement

અયોધ્યામાં રામ મંદિરના શિખરનું બાંધકામ સોમવારે પૂર્ણ થયું છે. ધાર્મિક વિધિ મુજબ પૂજા કર્યા પછી, જમીનથી 161 ફૂટ ઉપર આવેલા આ શિખર પર કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે. સોમવારે સવારે 9.15 વાગ્યે પૂજા શરૂૂ થઈ અને લગભગ 10.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી. પૂજા પછી, પૂજા કરાયેલ કળશને શિખરની ટોચ પર લઈ જવામાં આવ્યો અને ક્રેન ટાવરની મદદથી ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પહેલા તીર્થ ક્ષેત્રના પૂજારી આચાર્ય દુર્ગા પ્રસાદ ગૌતમે વિધિ મુજબ કળશની પૂજા કરી હતી. હવે ધ્વજસ્તંભ લગાવવાનું કામ શરૂૂ કરવામાં આવશે.

Advertisement

ચંપત રાયે કહ્યું કે હવે મંદિર પરિસરમાંથી બાંધકામ મશીનો દૂર કરવામાં આવશે.પહેલા માળે રાજા રામ દરબાર, પરકોટા અને સપ્તર્ષિ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂૂ થશે. મંદિરનું નિર્માણ કાર્ય સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે, જેના કારણે ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. એવું કહેવામાં આવ્યું હતું કે ખરમાસના અંત સાથે શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન સપ્ત મંડપમના તમામ સાત મંદિરોમાં વિવિધ મૂર્તિઓ પોતપોતાના સ્થળોએ સ્થાપિત કરવામાં આવી છે. હવે કિલ્લા પરથી મૂર્તિઓ અહીં લાવીને સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે અક્ષય તૃતીયા પર રામ દરબાર પણ સ્થાપિત કરવામાં આવશે. ફરીથી શેષાવતાર મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી લક્ષ્મણજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.

Tags :
AyodhyaAyodhya newsindiaindia newsram temple
Advertisement
Next Article
Advertisement