રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IPL-2024નો બીજો તબક્કો યુએઇમાં રમાડવાની વિચારણા

05:15 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂૂ થઈ રહી છે. આઈપીએલનું સંપૂર્ણ શિડ્યુલ હજુ આવ્યું નથી. બીસીસીઆઈએ માત્ર 21 મેચોના કાર્યક્રમની જાહેરાત કરી છે. તેનું કારણ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી છે. હવે એવા સમાચાર છે કે BCCI IPLનો બીજો ભાગ ભારતની બહાર UAEમાં ખસેડી શકે છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં આ અંગેની માહિતી આપી છે.

Advertisement

સૂત્રએ કહ્યું છે કે બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ હાલમાં યુએઈમાં છે અને બાકીની આઈપીએલ મેચો ભારતની બહાર ખસેડવી જોઈએ કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આઇપીએલની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય લેવામાં આવશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને પોતાના અહેવાલમાં લખ્યું છે કે શનિવારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે અને તે પછી બીસીસીઆઈ આઈપીએલની બાકીની મેચોના શેડ્યૂલ અંગે નિર્ણય કરશે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હાલમાં બીસીસીઆઈના કેટલાક ટોચના અધિકારીઓ દુબઈમાં છે અને ત્યાં આઈપીએલના બીજા હાફના આયોજનની શક્યતાઓ શોધી રહ્યા છે. અત્યાર સુધી બીસીસીઆઈએ 22 માર્ચથી 7 એપ્રિલ સુધીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોની હજુ રાહ જોવાઈ રહી છે. જો સેક્ધડ હાફ બહાર રમાય તો મેચો વચ્ચે ગેપ થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે આઇપીએલ છેલ્લા તબક્કા માટે ભારતમાં પાછી આવી શકે છે એટલે કે પ્લેઓફ અને ફાઈનલ ભારતમાં જ યોજાશે.

જ્યારે પણ લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે આઇપીએલના આયોજનમાં સમસ્યા સર્જાય છે. 2009માં જ્યારે બીજી આઈપીએલ સિઝન થઈ ત્યારે સમગ્ર લીગ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ પછી, જ્યારે 2014 માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આઇપીએલનો પહેલો ભાગ ભારતમાં રમાયો હતો અને બીજો ભાગ ઞઅઊમાં રમાયો હતો. જો કે, 2019 માં, લોકસભા ચૂંટણી પછી પણ, સમગ્ર આઇપીએલ ભારતમાં જ યોજાઈ હતી. કોવિડના સમયમાં પણ બીસીસીઆઈએ ઞઅઊમાં આઇપીએલનું આયોજન કર્યું હતું.

Tags :
indiaindia newsIPL-2024worldWorld News
Advertisement
Next Article
Advertisement