ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવો

11:15 AM May 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

જ્યારથી શશિ થરૂૂરે વિદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાના જ સાથી સાંસદ સામે આક્રમક બન્યા છે. કેટલાક તેમના પુસ્તકના પાના બતાવી રહ્યા છે તો કેટલાક તેમને ભાજપના સુપર પ્રવક્તા કહી રહ્યા છે. ટીવી ડિબેટથી લઈને ચર્ચાઓ સુધી એક જ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું મોદી સરકાર દરમિયાન પહેલીવાર સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી?

શું કોંગ્રેસ સરકાર એટલે કે ઞઙઅના 10 વર્ષમાં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ નથી? કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધીના આંકડા આપી રહ્યા હતા, આજે પાર્ટીએ સત્તાવાર રીતે સંપૂર્ણ યાદી જાહેર કરી છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની યાદી ચોંકાવનારી છે, કારણ કે તે દર્શાવે છે કે, મનમોહન સિંહની સરકાર દરમિયાન એક જ વર્ષમાં પાકિસ્તાનને ત્રણ વખત પાઠ ભણાવવામાં આવ્યો હતો. જી હા... તે વર્ષ 2013 હતું, એટલે કે મોદી સરકાર સત્તામાં આવી તેના એક વર્ષ પહેલા.એટલું જ નહીં, ભાજપ સરકારની રચનાના લગભગ ચાર મહિના પહેલા જાન્યુઆરી 2014માં ભારતીય સેનાએ સરહદ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.

કોંગ્રેસે 2008થી 2014 દરમિયાન લગભગ 6 વર્ષમાં 6 સર્જિકલ સ્ટ્રાઈકની લિસ્ટ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન 16 જૂન 2008ના રોજ પૂંછમાં ભટાલ સેક્ટર, 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર 2011ના રોજ નીલમ નદી ઘાટી, શારદા સેક્ટર અને 6 જાન્યુઆરી 2013ના રોજ સાવન પાત્રા ચેકપોસ્ટના નામ જણાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોંગ્રેસ સરકાર દરમિયાન 27-28 જુલાઈ 2013, 6 ઓગસ્ટ 2013 અને 14 જાન્યુઆરી 2014ના રોજ સર્જિકલ સ્ટ્રાઈકનો પણ દાવો કરવામાં આવ્યો છે. શશિ થરૂૂરે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતનું વલણ જે રીતે બદલાયું છે, તેનાથી આતંકવાદીઓને પણ ખ્યાલ આવી ગયો છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. વધુમાં તેમણે 2016માં પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઈક વિશે વાત કરી હતી.

 

Tags :
Congressindiaindia newsManmohan Singh governmentsurgical strikes
Advertisement
Advertisement