For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, એક પણ આતંકવાદી બચવો ન જોઈએ

05:16 PM Oct 10, 2024 IST | admin
આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો  એક પણ આતંકવાદી બચવો ન જોઈએ

મુંબઈમાં 26/11ના હુમલા વખતે રતન ટાટાનું નિવેદન

Advertisement

દેશના પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન ટાટા રતનનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. પોતાના સરળ સ્વભાવથી લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર રતન ટાટાએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ વિકાસ અને આપત્તિ રાહતમાં ઘણું યોગદાન આપ્યું છે. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ હોટેલ તાજને પણ નિશાન બનાવી હતી, જેના વિશે રતન ટાટાએ પાછળથી એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

વર્ષ 2008 માં, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત શહેરના ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. રતન ટાટા તે સમયે 70 વર્ષના હતા અને ફાયરિંગ સમયે તેઓ તાજ હોટલના કોલાબા છેડે ઉભા જોવા મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું કે કોઈએ તેમને ફોન કરીને જાણ કરી કે હોટલની અંદર ગોળીબાર થઈ રહ્યો છે, ત્યારબાદ તેમણે તાજ હોટલના સ્ટાફને ફોન કર્યો, પરંતુ કોઈએ તેમનો ફોન રિસીવ ન કર્યો.

Advertisement

રતન ટાટાએ જણાવ્યું હતું કે આ પછી તેઓ કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતા, પરંતુ અંદરથી ગોળીબાર થઈ રહ્યો હોવાથી તેમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, એક પણ આતંકવાદીને જીવતો ન જવો જોઈએ અને જો જરૂૂરી હોય તો આખી હોટેલને ઉડાવી દો.

Advertisement
Advertisement
Advertisement