ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વકફ બિલનું સમર્થન કરનાર ભાજપ નેતાના ઘરને આગ ચાંપી દેવાઈ

05:24 PM Apr 07, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મણિપુર એકમના પ્રમુખ અસ્કર અલીના ઘરને રવિવારે રાત્રે ટોળાએ આગ લગાવી દીધી હતી. કારણ કે તેણે વકફ એમેન્ડમેન્ટ એક્ટનું સમર્થન કર્યું હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી. અલીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ કાયદા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુસ્સે ભરાયેલા ટોળાએ રાત્રે લગભગ 9 વાગે તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા, તોડફોડ કરી હતી અને બાદમાં ઘરને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ અલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતાના અગાઉના નિવેદન માટે માફી માંગી હતી. તેમણે આ કાયદા સામે પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.દિવસની શરૂૂઆતમાં, વકફ સુધારા કાયદા વિરુદ્ધ ઇમ્ફાલ ખીણના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. લીલોંગમાં નેશનલ હાઈવે-102 પર ટ્રાફિકને ખોરવીને પાંચ હજારથી વધુ લોકોએ રેલીમાં ભાગ લીધો હતો.

Tags :
BJP leaderindiaindia newsWaqf BILL
Advertisement
Advertisement