નિવૃત્તિ પછી વધુ પડતું બોલવાની લાલચ ટાળો: જસ્ટિસ નરસિંહા
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ પીએસ નરસિંહાએ કહ્યું છે કે નિવૃત્તિ પછી પણ ન્યાયાધીશોએ ખૂબ ખુલ્લેઆમ અથવા વધુ પડતું બોલવાની લાલચથી બચવું જોઈએ. તેમણે ભાર મૂક્યો કે ન્યાયાધીશોએ તેમના મોંથી વધુ બોલવાને બદલે તેમના નિર્ણયો દ્વારા બોલવું જોઈએ. એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે આજના સોશિયલ મીડિયાના યુગમાં, જ્યાં દરેક શબ્દની જાણ થાય છે, ન્યાયાધીશોએ તેમના ચુકાદાઓમાં લખેલી બાબતોથી આગળ બોલવાની લાલચનો પ્રતિકાર કરવો જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશો, ખાસ કરીને નિવૃત્તિ પછી, આવા લાલચથી બચવું જોઈએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ (સીજેઆઇ) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ તેમના કેટલાક નિવેદનોને કારણે સમાચારમાં છે. વધુમાં, ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ ઓકાએ પણ કોલેજિયમના નિર્ણયો સહિત અનેક મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
આ બધા વચ્ચે, જસ્ટિસ નરસિંહાએ કહ્યું, એવું લાગે છે કે સોશિયલ મીડિયા અને વધુ બોલવાની જરૂૂરિયાતને કારણે, આપણે વાણી પર સંયમ રાખવાથી દૂર જઈ રહ્યા છીએ. આજે, દરેક શબ્દ સમાચાર બની જાય છે, અને વર્તમાન ન્યાયાધીશો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. વધુ ખરાબ, નિવૃત્તિ પછી, ન્યાયાધીશો વિચારે છે, પહવે બોલવાનો સમય છે, જાણે કે તે પૂર્ણ-સમયની વાતચીત હોય. મને લાગે છે કે સિસ્ટમે આ રીતે કામ ન કરવું જોઈએ.