For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અયોધ્યા રામમંદિર પરિસરમાં ડ્રોન ઉતારી નાસભાગ મચાવવા પ્રયાસ

05:14 PM Feb 18, 2025 IST | Bhumika
અયોધ્યા રામમંદિર પરિસરમાં ડ્રોન ઉતારી નાસભાગ મચાવવા પ્રયાસ

યુપીના અયોધ્યાથી મોટા સમાચાર આવી રહ્યા છે. રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે ઉમટી રહેલી ભક્તોની ભારે ભીડ વચ્ચે નાસભાગ મચાવવાનો પ્રયાસ થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ષડયંત્રના ભાગરૂૂપે રામ મંદિર પરિસરમાં ડ્રોન કેમેરા મુકવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ડ્રોન કબજે કરી અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. એક સપ્તાહમાં આ બીજી ઘટના પ્રકાશમાં આવી છે. 10 ફેબ્રુઆરીએ દર્શન માર્ગ પાસે આવું જ બીજું ડ્રોન પડ્યું હતું, જેમાં RJB ચોકીના ઈન્ચાર્જે રિપોર્ટ નોંધાવ્યો હતો.

Advertisement

સોમવારે સવારે રામજન્મભૂમિ સંકુલની અંદર ડ્યુટી પોઈન્ટ બેચિંગ પ્લાન્ટ પાસે ડ્રોન છોડવામાં આવ્યું હતું. મંદિર પરિસરની સુરક્ષા માટે તૈનાત પોલીસે ડ્રોન જપ્ત કરી લીધું છે. એક અઠવાડિયામાં આ અત્યંત સુરક્ષા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન પડવાની બીજી ઘટનાએ સુરક્ષા દળોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.છેલ્લી વખત દર્શન માર પાસે ડ્રોન છોડવામાં આવ્યું હતું. જ્યાં દર્શનાર્થીઓની લાંબી કતારો અને ભીડ જોવા મળે છે.

પોલીસનું કહેવું છે કે આ કૃત્ય મહાકુંભના રિવર્સ ફ્લો દરમિયાન અયોધ્યા પહોંચેલા ભક્તોની ભીડ વચ્ચે નાસભાગ મચાવવાનું ષડયંત્ર હોવાનું જણાય છે. જો આમ થયું હોત તો મોટી જાનહાનિ થઈ હોત. ડ્રોન ભીડથી દૂર એક વિસ્તારમાં પડ્યું તે નસીબદાર હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement