રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાને મળી મોટી સફળતા, એનકાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, એક જવાન ઘાયલ

10:42 AM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે મંગળવારે કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે સવારે આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું.

આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલ થયો છે. હાલમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશનની માહિતી શેર કરી છે. સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં 2 થી 3 આતંકીઓ છે, જેમને ગઈકાલે સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ સાંબા જિલ્લાના ગ્લાર ગામમાં એક તળાવ પાસે 303 રાઈફલની 49 ગોળીઓ મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજી એન્કાઉન્ટર છે. આ પહેલા પૂંછમાં એલઓસી પાસે બટાલ સેક્ટરમાં મંગળવારે સવારે લગભગ 3 વાગે સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં લાન્સ નાઈક સુભાષ કુમાર ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Tags :
deathindiaindia newsJammu and KashmirJammu and Kashmir newsterrorist
Advertisement
Next Article
Advertisement