For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં વધુ એક દુર્ઘટના, ઈમારત ધરાશાયી થતાં 3 મોત

11:26 AM Aug 03, 2024 IST | admin
દિલ્હીમાં વધુ એક દુર્ઘટના  ઈમારત ધરાશાયી થતાં 3 મોત

સમારકામ દરમિયાન કાપડનું કારખાનું તૂટી પડયું

Advertisement

દિલ્હીના જહાંગીરપુરીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ત્રણ માળની ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્યાં ઘણા લોકો ઘાયલ થયા. આ મકાન એક કાપડનું કારખાનું હતું. અહીં સમારકામનું કામ ચાલતું હતું. ત્યારે ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા હતાં. પોલીસે કાટમાળમાંથી એક મહિલા સહિત બે મૃતદેહ બહાર કાઢ્યા હતા.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટનામાં ત્રીજા મૃતકનું નામ મુકેશ કુમાર (45) છે. મુકેશ કુમારને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે જે ત્રણ માળની ઈમારત પડી છે તે કાપડની ફેક્ટરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તે પડી ત્યારે તેની અંદર સમારકામનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હી ફાયર સર્વિસ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને બપોરે 12 વાગ્યાની આસપાસ ઈમરજન્સી કોલ મળ્યો હતો, જેના પગલે પાંચ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

Advertisement

આ ફેક્ટરીમાં એક વર્ષ પહેલા પણ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી પણ ફેક્ટરીના ત્રણેય માળે અલગ-અલગ કામ ચાલતું હતું. રિપેરિંગ દરમિયાન બિલ્ડિંગનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાં કામ કરતા લગભગ 6 થી 7 લોકો કાટમાળ નીચે દટાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement