For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્તારના મૃત્યુનો માતમ મનાવતા અખિલેશ, માયાવતી

05:42 PM Mar 29, 2024 IST | Bhumika
મુખ્તારના મૃત્યુનો માતમ મનાવતા અખિલેશ  માયાવતી
  • સપાના વડાએ સુપ્રીમના જજની દેખરેખ હેઠળ શંકાસ્પદ મૃત્યુની તપાસ માગી માયાવતીની માગમાં સૂર પુરાવ્યો

Advertisement

માફિયા મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ રાજકારણ ગરમાયું છે. ઇજઙ ચીફ માયાવતી તેજસ્વી યાદવ બાદ હવે જઙ ચીફ અખિલેશ યાદવે મુખ્તાર અંસારીના મોતને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે જીવની રક્ષા કરવી એ સરકારની પહેલી જવાબદારી છે. જો સરકાર રક્ષણ ન કરી શકે તો તેને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી.અખિલેશ યાદવે યોગી સરકારને ઘેરતા કહ્યું કે દરેક પરિસ્થિતિમાં અને દરેક જગ્યાએ કોઈના જીવની રક્ષા કરવી એ સરકારની પ્રથમ જવાબદારી અને ફરજ છે.

અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે આવા તમામ શંકાસ્પદ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ થવી જોઈએ.સરકાર જે રીતે ન્યાયિક ક્રિયાને બાયપાસ કરીને અન્ય પદ્ધતિઓ અપનાવે છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.એસપી ચીફે કહ્યું કે જે સરકાર જીવનનું રક્ષણ કરી શકતી નથી તેને સત્તામાં રહેવાનો અધિકાર નથી. ઉત્તર પ્રદેશ સરકારી અરાજકતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો આ ઝીરો અવર છે.

Advertisement

મુખ્તાર અંસારીના નિધન પર સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું મૃત્યુ જે સંજોગોમાં થયું તે અત્યંત ચિંતાજનક છે. તેણે પહેલા જ કોર્ટમાં અરજી કરી હતી અને ઝેર પીને તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. વર્તમાન વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ ન તો જેલમાં, ન પોલીસ કસ્ટડીમાં કે ન તો પોતાના ઘરમાં સુરક્ષિત છે.વહીવટી આતંકનું વાતાવરણ સર્જીને લોકોને મોં બંધ રાખવાની ફરજ પડી રહી છે. શું મુખ્તાર અંસારીએ કોર્ટમાં આપેલી અરજીના આધારે યુપી સરકાર ન્યાયિક તપાસનો આદેશ આપશે?

આ પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેમણે મુખ્તાર અંસારીના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે તેમને યુપીના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.થોડા દિવસ પહેલા તેણે જેલમાં ઝેર પીધું હોવાની ફરિયાદ કરી હતી, છતાં તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. પ્રથમ દૃષ્ટિએ આ વાજબી અને માનવીય લાગતું નથી. બંધારણીય સંસ્થાઓએ આવા અજીબોગરીબ કિસ્સાઓ અને ઘટનાઓ પર સ્વત: સંજ્ઞાન લેવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement