રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દશેરા પહેલા હૈદરાબાદમાં બબાલ, બદમાશોએ દુર્ગા પંડાલમાં તોડફોડ, મૂર્તિ ખંડિત કરી

01:43 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હૈદરાબાદમાંથી એક નવરાત્રી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં કેટલાક આવારા તત્વોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી. અને દુર્ગા દેવીની મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના આજે સવારે સામે આવી, જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા હતાં. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસે કેસની તપાસ કરી રહી છે.

આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ થયો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર હતી. આ ઘટના કયા સમયે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ દાનપેટીને એક તરફ મૂકી દીધી હતી, જેથી દેવી દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. દેવી શરણ નવરાત્રિ સમારોહના ભાગરૂપે એક્ઝિબિશન સોસાયટીના રહીશો અને કર્મચારીઓ દર વર્ષે દેવીની મૂર્તિ બનાવે છે.
પ્રદર્શન સોસાયટીના રહેવાસીઓ અને સ્ટાફ દર વર્ષે દેવી શરણ નવરાત્રિની ઉજવણીના ભાગરૂપે દેવીની મૂર્તિ બનાવે છે.

આયોજકોએ કહ્યું કે આરોપીઓએ પંડાલમાં પ્રવેશતા પહેલા વીજળી કાપી નાખી. આ પછી તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેના કારણે હજુ સુધી ઘટનાના સમયના કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આરોપીઓએ બેરિકેડિંગ હટાવીને પૂજાની વસ્તુઓ ફેંકી દીધી હતી.

Tags :
crimeDurga pandalDurga-PujaDUSSEHRAindiaindia newsTelanganaTelangana news
Advertisement
Next Article
Advertisement