રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલાના આક્ષેપ બાદ અભિનેતા દર્શન જરીવાલાનું CINTAAમાંથી રાજીનામું

06:33 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

પ્રખ્યાત અભિનેતા દર્શન જરીવાલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર્શન જરીવાલાએ ઈઈંગઝઅઅ (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન)ના વાઇસ પ્રેસિડેન્ટ અને કાર્યકારી સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
વાસ્તવમાં મામલો એ છે કે કોલકાતાની એક મહિલાએ દર્શન જરીવાલા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે દર્શન જરીવાલાએ ગાંધર્વ વિવાહ દ્વારા મંદિરમાં લગ્ન કર્યા અને પછી જ્યારે તેણી ગર્ભવતી થઈ ગઈ, ત્યારે તેઓએ તેણીને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો.

Advertisement

મહિલાએ દર્શન જરીવાલા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દર્શન જરીવાલાએ પણ મહિલા વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો છે. દર્શન જરીવાલા એક પ્રખ્યાત અભિનેતા છે. દર્શન જરીવાલાએ માત્ર હિન્દી અને ગુજરાતી ફિલ્મો જ નહીં પરંતુ હિન્દી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. દર્શન જરીવાલાએ તેમના કરિયરમાં 90થી વધુ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. દર્શન જરીવાલાની છેલ્લી ગુજરાતી ફિલ્મ કમઠાણ છે, જે શુક્રવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે.

Tags :
Darshan Jariwalaindiaindia news
Advertisement
Next Article
Advertisement