For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંત સત્તાનો ગુલામ ન હોઇ શકે, યોગી આદિત્યનાથના સુચક વિધાન

05:46 PM Sep 02, 2024 IST | admin
સંત સત્તાનો ગુલામ ન હોઇ શકે  યોગી આદિત્યનાથના સુચક વિધાન

સિધ્ધાંતો વિનાનું રાજકારણ એ મૃત્યુની માયાઝાળ છે

Advertisement

બાબા કીનારામની 425મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ચંદૌલી પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું, સંત અને યોગી સત્તાના ગુલામ નથી. તેઓ હંમેશા રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે કામ કરે છે. 12 મિનિટના સંક્ષિપ્ત સંબોધનમાં સીએમ યોગીએ કહ્યું કે સંતો અને યોગીઓ ક્યારેય સત્તા પાછળ નથી દોડતા, પરંતુ સામાન્ય માણસ તેમના પગલે ચાલે છે અને દેશ અને સમાજના હિતમાં કામ કરે છે. યોગીએ કહ્યું કે, બાબાએ સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં અડચણ ઉભી કરનારા મુઘલ આક્રમણકારોને ફટકાર લગાવી અને તેમને દેશમાંથી ભગાડી દીધા. કીનારામે બધી સાધના પદ્ધતિઓને જોડીને કાશીમાં ક્રી કુંડની સ્થાપના કરી. આ પહેલા મુખ્યમંત્રીએ અઘોરાચાર્ય બાબા પીઠાધીશ્વર સિદ્ધાર્થ ગૌતમ રામ સાથે બાબા કીનારામના દર્શન કર્યા હતા.

વારાણસી પહોંચેલા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સપા અને કોંગ્રેસ દેશના ભોગે રાજનીતિ કરે છે જ્યારે અમે રાજનીતિને દેશ માટેનું સાધન માનીએ છીએ. તેમની અને અમારી વચ્ચે આ જ ફરક છે. પૂર્વ વડાપ્રધાન અટલજીને યાદ કરતાં તેમણે કહ્યું કે સિદ્ધાંતો વિનાનું રાજકારણ એ મૃત્યુની જાળ છે.

Advertisement

સીએમ યોગીનું નિવેદન હંમેશા ચર્ચામાં રહે છે. 27 ઓગસ્ટે પણ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. જેની ખૂબ ચર્ચા થઈ હતી. આગરામાં બહાદુર દુર્ગાદાસ રાઠોડની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે દેશ સર્વોચ્ચ છે, રાષ્ટ્રથી મોટું કંઈ ન હોઈ શકે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે (સનાતની) બધા સાથે રહીશું. જો આપણે ભાગલા પાડીશું તો આપણે વિભાજિત થઈશું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો. આવી ભૂલ અહીં ન થવી જોઈએ. જો આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement