રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પુરીનાં મંદિરમાં પ્રવેશનારા 9 બાંગ્લાદેશીની અટકાયત

05:58 PM Mar 04, 2024 IST | admin
Advertisement

ઓડિશા સ્થિત પુરીના જગન્નાથ મંદિરમાંથી 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકો પર મંદિરમાં અનધિકૃત રીતે પ્રવેશ કરવાનો આરોપ છે. ઓડિશા પોલીસે આ કેસમાં 9 બાંગ્લાદેશીઓને અટકાયતમાં લીધા છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે અટકાયત કરાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

Advertisement

પોલીસ અધિકારીએ કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ ફરિયાદ કરી હતી કે 12મી સદીના મંદિરમાં ઘણા બિન-હિંદુ બાંગ્લાદેશીઓ પ્રવેશ કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પછી સિંહદ્વાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રવિવારે સાંજે 09 બાંગ્લાદેશીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. નિયમ મુજબ મંદિરમાં માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે.

Tags :
indiaindia newsJagannathOdishaOdisha newsPuri temple
Advertisement
Next Article
Advertisement