રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તરાખંડની હિંસામાં 6નાં મોત, 100 પોલીસ સહિત 300 ઘાયલ

11:20 AM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

હલ્દવાનીમાં ગેરકાયદે મદરેસા તોડી પડાયા પછી રમખાણો: પોલીસ પર પથ્થરમારો, પેટ્રોલ બોંબ, વાહનોને આગચંપી બાદ કરફયુ, શૂટ એટ સાઈટનો ઓર્ડર: ઈન્ટરનેટ બંધ

Advertisement

ઉત્તરાખંડમાં ગુરુવારે એક મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ હંગામો થયો હતો. આખા શહેરમાં હિંસા જોવા મળી રહી છે. પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકી ત્યાં સુધીમાં તો બદમાશોએ પોતાનો પ્લાન પાર પાડી દીધો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 100 પોલીસકર્મીઓ સહિત 300 લોકો ઘાયલ થયા છે. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. એક તબક્કે હિંસા એટલી ઉગ્ર બની હતી કે પોલીસને પીછેહઠ કરવી પડી હતી. દરેક ગલીમાં છત પરથી પોલીસ પર પથ્થરમારો થયો હતો. સમાચાર આવી રહ્યા છે કે આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. પોલીસ કર્મચારીઓ અને સામાન્ય લોકો સહિત 139 ઘાયલ થયા છે. સમગ્ર હલ્દવાની શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સ્થિતિની નાજુકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્ય સરકારે બદમાશોને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.

હિંસા અને અફવાઓને રોકવા માટે ગુરુવારે રાતથી શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે આજે તમામ શાળાઓ પણ બંધ રહેશે. આ સમગ્ર અરાજકતામાં જોની, અનસ, રીસ ફહીમ, ઈસરાર અને સિવાન નામના લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં હલ્દવાનીના એસડીએમ પરિતોષ વર્મા, કાલાઢુંગીના એસડીએમ રેખા કોહલી, તહસીલદાર સચિન કુમાર, સીઓ સ્પેશિયલ ઓપરેશન નીતિન લોહાની અને લગભગ 200 અન્ય પોલીસકર્મીઓ સામેલ છે. જિલ્લા મેજિસ્ટરના જણાવ્યા મુજબ ઉપદ્રવીઓએ પેટ્રોલ બંબ પણ ફેંકયા હતાં.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાજ્યની સરકારી જમીનો પર ગેરકાયદે અતિક્રમણ દૂર કરવા સૂચના આપી છે. આ જ ક્રમમાં મહાનગરપાલિકાની ટીમે બાણભૂલપુરાના ઈન્દિરા નગર વિસ્તારમાં મલિકના બગીચામાં બનાવેલ ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને જેસીબી મશીનની મદદથી તોડી પાડી હતી. આ પછી, નજીકમાં રહેતા તમામ કથિત અરાજકતાવાદી તત્વોએ પોલીસ અને વહીવટીતંત્ર પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ત્યાં હાજર ઘણા પત્રકારોને ઈજાઓ પણ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર હથિયારોથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Tags :
Haldwanihaldwani newshaldwani Violenceindiaindia newsuttarakhandUttarakhand news
Advertisement
Next Article
Advertisement