For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલંગાણામાં પછાત વર્ગો માટે 42% અનામત: ભાજપનો ટેકો

05:53 PM Mar 18, 2025 IST | Bhumika
તેલંગાણામાં પછાત વર્ગો માટે 42  અનામત  ભાજપનો ટેકો

તેલંગાણામાં જાતિ સર્વેક્ષણ બાદ હવે પછાત જાતિઓને 42 ટકા અનામત આપતું બિલ પણ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. બિલ અનુસાર, પછાત જાતિઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેરી અને ગ્રામીણ સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ આ પ્રકારનું અનામત મળશે. સત્તાધારી કોંગ્રેસ ઉપરાંત આ બિલને વિપક્ષ બીઆરએસ અને ભાજપે પણ સમર્થન આપ્યું છે. આને લગતા ત્રણ બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. એકમાં પેટા જાતિઓને પણ અનામત આપવાની જોગવાઈઓ છે.

Advertisement

તેલંગાણા સરકારે કાસ્ટ સર્વે કર્યો હતો જેમાં બહાર આવ્યું હતું કે 56.33 ટકા પછાત જાતિઓ છે. જેમાં મુસ્લિમ સમાજની જ્ઞાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બિલ રજૂ કરતાં પછાત જાતિ કલ્યાણ પ્રધાન પોનમ પ્રભાકરે કહ્યું કે, તેલંગાણા વિધાનસભામાંથી સંદેશ મોકલવો જોઈએ કે અમે તમામ પછાત જાતિઓ માટે 42 ટકા અનામતનું સમર્થન કરીએ છીએ. આ જાતિઓ દેશનો આધાર બની છે.

સીએમ રેવન્ત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું કે રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામતમાં 42 ટકાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે તમામ પક્ષો આ અનામત બિલને સમર્થન આપી રહ્યા છે. આ દેશ માટે એક મોટો સંદેશ છે. તેમણે કહ્યું કે જે લોકો આ ઐતિહાસિક બિલને સમર્થન આપી રહ્યા છે તે તમામ લોકો આભારને પાત્ર છે. CMએ કહ્યું કે 42 ટકા અનામતના વચનને પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
બીઆરએસ નેતા હરીશ રાવે કહ્યું કે, અમે પછાત વર્ગો માટે 42 ટકા અનામતને બિનશરતી સમર્થન આપીએ છીએ. પાર્ટીના નેતા ગંગુલા કમલાકરે કહ્યું કે, દેશમાં પછાત જાતિઓ સાથે ઘણો અન્યાય થયો છે. આ અનામત માટે અમારા હાથમાં જે હશે તે અમે કરીશું. ભાજપના પાયલ શંકરે કહ્યું કે, કોંગ્રેસના કારણે ઓબીસી અનામતમાં વિલંબ થયો. અમે બિલને સમર્થન આપીએ છીએ પરંતુ એ પણ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કાસ્ટ સર્વે વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવ્યો હતો કે નહીં. તેમણે કહ્યું કે મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ ન મળવું જોઈએ.

Advertisement

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જે રીતે અનામતનો અમલ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે આ અનામત મુસ્લિમો માટે નથી પરંતુ મુસ્લિમોમાં પછાત જાતિઓ માટે છે. કોંગ્રેસે ધર્મના આધારે દેશને વિભાજીત કરવાનું બંધ કરવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement