રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં બોઇલર ફાટતાં બે શ્રમિકના મોત

12:41 PM Dec 13, 2023 IST | Sejal barot
Advertisement

મોરબીના બગથળા ગામે આવેલ ઇવા સિન્થેટિક ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થતા હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે. બીજી તરફ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ પણ મેળવી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં આજે સાંજે બોઇલર ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે આ આગમાં ફેકટરીમાં બોઇલરનું રીપેરીંગ કામ કરતા બે લોકોના મોત નિપજ્યા છે.
આ ગોઝારી આગની ઘટનામાં બે વ્યકિતના મૃત્યુ નિપજયા છે. જેમાં વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.40) રહે પટેલ નગર સોસાયટી, આલાપ રોડ મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું તેમજ હિતેશ મનસુખભાઈ ડેડકિયા (ઉ.વ.37) નું પણ મોત થયું હતું તો નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.50) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

Advertisement

Tags :
afterboilerburstinmorbiTwo laborers died
Advertisement
Next Article
Advertisement