વાંકાનેર પાસે થાર કારના ચાલકે અડફેટે લેતા સિંધાવદરની મહિલાનું મોત
વાંકાનેર શેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બ્લકે કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મલિાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા (ઉ.વ.52, રહે.સિંધાવર) નામની મહિલાને ત્યાંથી પસાર થતી એક મહિન્દ્રા થાર કાર નં.જીજે 36 એજે 909ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને તાકાલિક સારવાર અર્થે પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે જવા રવાના થયો હોવાની માહિતી મળી રહી છે.