મોરબીના લાલપરમાં પરિણીતાએ બ્લેડ વડે ગળાના ભાગે કાપા મારી પહેલા માળેથી લગાવી મોતની છલાંગ
મોરબીના લાલપુરમાં રહેતી પરિણીતાએ બીમારીથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની જાતે ગળાના ભાગે બ્લેડ વડે કાપા મારી પહેલા મારાથી મોતની છલાંગ લગાવી હતી પરિણીતાના આપઘાતથી બે વર્ષની માસુમ બાળકી અને ત્રણ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતી મિતલબેન સંજયભાઈ પરમાર નામની 29 વર્ષની પરિણીતા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પોતાની જાતે બ્લેડ વડે ગળાના ભાગે ઇજા પહોંચાડી પહેલા માળેથી છલાંગ લગાવી હતી ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન પરમારને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મિતલબેન પરમારના દસ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર અને બે મહિનાની પુત્રી છે મિતલબેન પરમારે બીમારી કંટાળી પગલું ભર્યું હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પતિ સહિતના પરિવાર અને તેના માતા પિતાની માફી માંગતો અને બાળકોને બાળકોને ધ્યાન રાખવા ભલામણ કરતો વિડિયો વાયરલ કરી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.