રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીધામ સ્પામાં નોકરી કરતી યુવતીની તેના પતિએ જ હત્યા ર્ક્યાનો ઘટસ્ફોટ

11:24 AM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગાંધીધામમાં આવેલા ભાનુદિપ એપાર્ટમેન્ટમાં સ્પામાં નોકરી કરતી પરિણિતાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળવાની ઘટનામાં તેનો પતિ ગુમ છે તેવામાં મૃતકના ભાઇએ તેના પતિએ બીજા લગ્ન કરવા મુદ્દે અવાર નવાર માથાકુટ થતી હોઇ તેના પતિએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ એ-ડિવિઝન પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં મજલિસપુરમાં રહેતા મૃતકના ભાઇ સારેજુલ મોહમ્મદ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.7/10 ના તેમના ગામના મુખી અને સ્થાનિક પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાંધીધામ રહેતી તેમની 41 વર્ષીય બહેન તાનજુઆરાબીબીનો મૃતદેહ ભાનુદિપ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો છે.

બહેનનો પતિ કાલુ દેલુ શેખ ક્યાંક ચાલ્યો ગયો છે. તમનો બનેવી કાલુ ઉગ્ર સ્વભાવનો હોવાનું પરિવાર જાણતો હતો અને અવાર નવાર નાની મોટી વાતોમાં તે બહેન સાથે ઝઘડા તકરાર કરતો હતો. તેમની મૃતક બહેનના પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યા તેમના બનેવીએ જ બીજા લગ્ન કરવા મુદ્દે કરી હોવાની શંકા વ્યક્ત કરી તા.3/10 થી તા.8/10 દરમિયાન તેમના બનેવીએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું જણાવી એ-ડિવિઝન પોલીસ મથકે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નો઼ધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.7-10ના ભાનુદીપ એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાંથી સ્પામાં નોકરી કરતી પશ્ચિમ બંગાળની પરિણીતાને કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યા બાદ તેનો પતિ ગાયબ હોવાની ઘટના સામે આવી હતી.

Tags :
crimeGandhidhamgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement