કચ્છમાં રૂા.2526 કરોડના ખર્ચે નખાશે નવી રેલવે લાઇન
145 કિલોમીટરમાં આવતા ધોળાવીરા, કોટેશ્ર્વર, નારાયણ સરોવર સહિતના પ્રવાસ અને ઉદ્યોગ સ્થળોનો સમાવેશ
ભારત સરકારના કેબિનેટે રૂ. 12,328 કરોડના કુલ ખર્ચે રેલવેના 4 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામમાં રેલવે લાઇનોનું મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છ પ્રદેશમાં નવી રેલ લાઇનનો સમાવેશ થાય છે. આ પહેલથી ભારતીય રેલવેના નેટવર્કમાં 565 રૂૂટ કિલોમીટરનો વધારો થશે, જેના પરિણામે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો થશે, ઈઘરૂ ઉત્સર્જન ઘટશે અને 251 લાખ માનવ-દિવસની સીધી રોજગારીનું સર્જન થશે.કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. 12,328 કરોડના ખર્ચે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમાં ગુજરાતના કચ્છ પ્રદેશમાં રૂ. 2,526 કરોડના ખર્ચે 145 કિલોમીટરની નવી રેલ લાઇનનો સમાવેશ થાય છે, જે ધોળાવીરા, કોટેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસી સ્થળોને જોડશે અને પ્રદેશમાં આર્થિક વિકાસ લાવશે. અન્ય પ્રોજેક્ટ્સમાં કર્ણાટક-તેલંગાણા, બિહાર અને આસામમાં રેલવે લાઇનોનું મલ્ટી-ટ્રેકિંગ સામેલ છે. આ તમામ પ્રોજેક્ટ્સ માલસામાનના પરિવહનમાં 68 ખઝઙઅ નો વધારો કરશે, લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે, અને ઙખ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે સુસંગત છે.ગુજરાતના કચ્છ પ્રદેશમાં નવી રેલ લાઇનનો પ્રોજેક્ટ સૌથી મહત્વપૂર્ણ છે.
રૂ. 2,526 કરોડના અંદાજિત ખર્ચે 145 કિલોમીટરની આ લાઇન દૂરના સરહદી વિસ્તારોને જોડશે. આનાથી માત્ર મીઠું, સિમેન્ટ, કોલસો અને બેન્ટોનાઈટ જેવી ચીજવસ્તુઓના પરિવહનમાં જ મદદ નહીં મળે, પરંતુ તે પ્રવાસનને પણ મોટો વેગ આપશે. આ લાઇન હડપ્પા સ્થળ ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસી સ્થળોને જોડશે, જેમાં 13 નવા રેલવે સ્ટેશનો ઉમેરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો અંદાજિત સમયગાળો 3 વર્ષનો છે અને તેનાથી 866 ગામો અને લગભગ 16 લાખ વસ્તીને સીધો લાભ થશે.સિકંદરાબાદ (સનથનગર) - વાડી: કર્ણાટક અને તેલંગાણામાં ફેલાયેલી 173 કિલોમીટરની આ લાઇન રૂ. 5,012 કરોડના ખર્ચે બનશે અને તે 5 વર્ષમાં પૂર્ણ થશે. આનાથી 3,108 ગામો અને 47.34 લાખ વસ્તીને લાભ થશે. ભાગલપુર - જમાલપુર: બિહારમાં 53 કિલોમીટરની આ લાઇન રૂ. 1,156 કરોડના ખર્ચે 3 વર્ષમા પૂર્ણ થશે ફુરકાટિંગ - નવી તિનસુકિયા: આસામમા 194 કિલોમીટર લાંબી આ લાઇન રૂ. 3,634 કરોડના ખર્ચે 4 વર્ષમાં તૈયાર થશે. આર્થિક અને પર્યાવરણીય ફાયદાઆ તમામ પ્રોજેક્ટ્સ ઙખ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ આવે છે, જે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રેલ નેટવર્કમાં કુલ 565 કિલોમીટરનો વધારો થવાથી 68 ખઝઙઅ (મિલિયન ટન પ્રતિ વર્ષ) વધારાનો માલસામાન પરિવહન થઈ શકશે. આનાથી ઓઈલ આયાત પરની નિર્ભરતા ઘટશે અને ઈઘરૂ ઉત્સર્જનમાં 360 કરોડ કિલોગ્રામનો ઘટાડો થશે, જે 14 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ્સ નિર્માણ દરમિયાન 251 લાખ માનવ-દિવસની સીધી રોજગારીનું સર્જન કરશે. આ પહેલ આત્મનિર્ભર ભારત અને પ્રાદેશિક વિકાસના વિઝનને મજબૂત બનાવશે.