રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભૂજના મીરજાપર ગામે 13 વર્ષની સગીરા પર વેપારીએ આચર્યુ દુષ્કર્મ

12:28 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભુજના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને લલચાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને હેવાનીયતથી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ હતી.

સગીરાને નરાધમે ધમકી પણ આપી હતી. સમગ્ર વાતની જાણ સગીરાએ પરિવારને કરી હતી. સગીરાના પિતાએ તુંરત જ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ દાખલ કરી હતી.મળતા અહેવાલ પ્રમાણે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અને 13 વર્ષની દિકરી મીરજાપર છપરીવાસમાં આવેલી આરોપી ઇશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા.

આરોપી ઇશાકેએ ફરિયાદીના પુત્રને રૂૂપિયા 50 આપીને અન્ય દુકાનેથી ખરીદી કરવા મોકલી આપીને ફરિયાદીની સગીર દિકરીને લલચાવી ફોસલાવીને દુકાન પાછળ આવેલા રૂૂમમાં લઈ ગયો હતો, નરાધમે રૂૂમમાં સગીરા પર બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો.બનાવ અંગે ફરિયાદીની દિકરીએ માતા-પિતાને જાણ કરતાં સગીરાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે ઇશાક કુંભાર સામે દુષ્કર્મ પોક્સોની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.

Tags :
BhujBhuj newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement