For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગળપાદર જેલમાં મહેફિલ કાંડમાં વધુ પાંચ આરોપીની જેલ ટ્રાન્સફર

12:02 PM Jul 26, 2024 IST | admin
ગળપાદર જેલમાં મહેફિલ કાંડમાં વધુ પાંચ આરોપીની જેલ ટ્રાન્સફર

જામનગર વકીલના મર્ડર કેસના આરોપી રજાક ઉર્ફે સોપારીને રાજકોટ અને અન્ય અમદાવાદ જેલમાં ખસેડાયા

Advertisement

કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહી દરમ્યાન મહેફિલ અને મોબાઇલ મળી આવતા નવ આરોપીઓ વિરુદ્ધ કરુવાહી કરવામાં આવી હતી.જેમાંથી છ આરોપીને અન્ય જેલમાં બદલવાના આવ્યા છે.આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત શનિવારે રાત્રે પોલીસ વડાના માર્ગદર્શન તળે એસ.ઓ.જી.,એલ.સી.બી.આઇ. શાખા દ્વારા જેલમાં કાર્યવાહી કરી 9 શખ્સોને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી યુવરાજાસિંહ જાડેજાને અન્ય જેલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિવભદ્રસિંહ સુખદેવસિંહ, રોહિત ગાવિંદ મારાજ, ગાવિંદ હરજી મહેશ્વરી, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, રજાક ઉર્ફે સોપારી દાઉદ બચુ ચાવડાને રાજકોટ અને અમદાવાદની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.હજુ ત્રણ આરોપીઓના ઓર્ડર આવવાના બાકી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement