બાંગ્લાદેશના ક્રિકેટર મુશરફ મૃર્તઝાનું ઘર સળગાવતા તોફાનીઓ
01:20 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
બાંગ્લાદેશની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. દેશમાં હિંસાની આગમાં દિગ્ગજ ક્રિકેટર મુશરફે મુર્તઝાના ઘર ઝપેટમાં આવી ગયું છે. આંદોલનકારીઓએ પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ લગાવી દીધી છે. મુશરફે મુર્તઝા અવામી લીગના સાંસદ છે.
મુશરફે મુર્તઝા વનડે મેચમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી છે. તેના નેતૃત્વમાં બાંગ્લાદેશી ટીમે 2010થી 2020 વચ્ચે 88 મેચ રમી હતી. આ દરમિયાન ટીમે 50 મેચ જીતી અને 36 મેચ હારી હતી. મુર્તઝાની આગેવાનીમાં 2 મેચનું પરિણામ આવ્યું નહીં.
Advertisement
તેણે 2009માં એક ટેસ્ટ મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી. આ મેચ બાંગ્લાદેશે જીતી હતી. 2014થી લઈને 2017 સુધી તેણે 28 ટી20 મેચમાં પણ ટીમની કમાન સંભાળી હતી.
Advertisement