For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી: ટ્રેડિંગ બંધ કરવું પડ્યું

04:20 PM May 08, 2025 IST | Bhumika
ભારતના હુમલામાં કરાચી શેરબજાર પણ ધરાશાયી  ટ્રેડિંગ બંધ કરવું પડ્યું

એક તરફ, પાકિસ્તાન અને પીઓકે પર ભારતના હવાઈ હુમલા પછી પાડોશી દેશ ધ્રૂજી રહ્યો છે, તો બીજી તરફ, ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાની શેરબજાર પર ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે એવું તોફાન આવ્યું કે સ્ટોક એક્સચેન્જે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું. હા, ટ્રેડિંગ શરૂૂ થયાના થોડા જ સમયમાં, KSE-100 ઇન્ડેક્સ લગભગ 7000 પોઈન્ટ ઘટ્યો અને પાકિસ્તાન શેરબજાર ક્રેશ થઈ ગયું.

Advertisement

ગુરુવારે ટ્રેડિંગની શરૂૂઆતમાં પાકિસ્તાની શેરબજારનો મુખ્ય સૂચકાંક KSE-100 ઘટીને 6.50% ના મોટા ઘટાડા સાથે 1,03,055.18 ના સ્તરે પહોંચ્યો. ભારતના ઓપરેશન સિંદૂર પછી બુધવારે તેમાં 6%નો ઘટાડો થયો હતો અને આજે તેમાં લગભગ 7%નો ઘટાડો થયો છે. બુધવારે, KSE-100 ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 1,13,568.51 થી ઘટીને 1,07,296.11 ના સ્તરે પહોંચી ગયો હતો, અને હવે તે વધુ નીચે આવી ગયો છે. 2021 પછી પાકિસ્તાની શેરબજારમાં જોવા મળેલો આ સૌથી મોટો ઘટાડો છે.

ભારતીય હુમલાથી ડરેલા રોકાણકારો દ્વારા પાકિસ્તાની શેરબજારમાં (પાકિસ્તાન માર્કેટ ઇન ફિયર) મોટા પાયે વેચવાલી ચાલી રહી છે, અને 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ વલણ ચાલુ છે, ત્યારથી, પાકિસ્તાની શેરબજારનો મુખ્ય સૂચકાંક KSE-100 15,000 થી વધુ પોઈન્ટ ઘટ્યો છે. આ સમયગાળા દરમિયાન, સૌથી મોટો ઘટાડો તેલ અને ગેસ તેમજ સિમેન્ટ કંપનીઓના શેરમાં જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલાના દિવસે આ ઇન્ડેક્સ 1,18,383.38 પર બંધ થયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement