ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો

11:17 AM Feb 14, 2025 IST | Bhumika
Advertisement

ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર કરાશે: ગેરકાયદે ઇમિગ્રન્ટસનો મુદ્દો પણ ચર્ચાયો

Advertisement

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેમની ચાર કલાક ચાલેલી દ્વિપક્ષીય બેઠક બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ અને ભારત એક ડીલ પર પહોંચ્યા છે જેમાં બંને દેશો વચ્ચેની વેપાર ખાધ ઘટાડવા માટે ભારત વધુ યુએસ તેલ અને ગેસની આયાત કરે છે. આ સાથે તેમણે ભારતને અત્યાધુનિક એફ-35 ફાઇટર એરક્રાફટ વેચવા જાહેરાત કરી હતી. એ સાથે ભારત અત્યાધુનિક સ્ટીલ્થ એરક્રાફટ ધરાવતા દેશોની વિશિષ્ટ કલબમાં સામેલ થશે.

ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન અને હું ઉર્જા પર એક મહત્વપૂર્ણ સમજૂતી પર પણ પહોંચ્યા, જે સુનિશ્ચિત કરશે કે યુએસ ભારતને તેલ અને કુદરતી ગેસનું અગ્રણી સપ્લાયર રહેશે, આશા છે કે નંબર 1 સપ્લાયર રહેશે. યુએસ પરમાણુ ઉદ્યોગ માટે અભૂતપૂર્વ વિકાસમાં, ભારત યુએસ પરમાણુ ટેકનોલોજીને ભારતીય બજારમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે આવકારવા માટે કાયદામાં પણ સુધારો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે વોશિંગ્ટન અને નવી દિલ્હી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદના ખતરાનો સામનો કરવા સાથે મળીને કામ કરશે. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે હું વડાપ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરીને રોમાંચિત છું. તેમણે કહ્યું કે તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઇને ખુશ થાઉં છું.
આગળ કહ્યું કે અમે અહીં અને ભારતમાં પણ ઘણો સમય વિતાવીએ છીએ. અમે 5 વર્ષ પહેલા તમારા સુંદર દેશની યાત્રા કરી હતી...તે એક અદ્ભુત સમય હતો. વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી અમેરિકા અને ભારત વચ્ચે ખાસ બંધન છે. આજે વડાપ્રધાન અને હું સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક માળખાની જાહેરાત કરી રહ્યા છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર ખઅૠઅ - મેક અમેરિકા ગ્રેટ અગેઇનથી પરિચિત છે. ભારતના લોકો પણ ભારત 2047ને વારસા અને વિકાસના પાટા પર વિકસાવવાના તેમના સંકલ્પ સાથે ઝડપી ગતિએ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે મેક ઈન્ડિયા ગ્રેટ અગેઈન એટલે કે ખઈંૠઅ. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે ખઅૠઅ હીત ખઈંૠઅ, ત્યારે તે બની જાય છે ખઊૠઅ પાર્ટનરશિપ ફોર પ્રોસ્પરિટી અને આ ખયલફ આપણા ધ્યેયોને નવો સ્કેલ અને અવકાશ આપે છે.
મોદીએ કહ્યું આજે અમે 2030 સુધીમાં અમારા દ્વિપક્ષીય વેપારને બમણાથી વધારીને 500 બિલિયન ડોલર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

અમારી ટીમો પરસ્પર ફાયદાકારક વેપાર કરારને અંતિમ સ્વરૂૂપ આપવા માટે કામ કરશે. અમેરિકામાં ભારતીય સમુદાય આપણા સંબંધોમાં મહત્વની કડી તરીકે કામ કરે છે. અમારા લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે અમે ટૂંક સમયમાં લોસ એન્જલસ અને બોસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટની સ્થાપના કરીશું. ભારતીય વિદેશ સચીવ વિક્રમ મિસરીએ બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતની વિગતો આપતા જણાવ્યું હતું કે ગેરકાયદે ઇમિગ્રન્ટસનો મુદ્દો સામે આવ્યો તો અમે તમને પાછા લઇશું. વડાપ્રધાન મોદીએ ભારપુર્વક જણાવ્યું કે ગેરકાયદેસર વસાહતીઓનું પરત ફરવું એ વાર્તાનો અંત નથી. એક ઇકો સિસ્ટમ છે જેની સામે પગલા લેવાની જવાબદારી બન્ને દેશોની છે.

ઓછો-વધુ નહીં, જે દેશ જેટલો ટેરિફ લેશે તેટલો ઉઘરાવશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. નવા ટેરિફની જાહેરાત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ દેશ ગમે તેટલો ટેરિફ લાદે, અમે તે દેશ પર તે જ ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વધુ નહીં, ઓછું નહીં, તેઓ અમારી પાસેથી ટેક્સ કે ટેરિફ વસૂલ કરે છે અને અમે બરાબર એ જ ટેક્સ કે ટેરિફ વસૂલ કરીશું. કોઈને ખબર નથી કે તે નંબર શું છે. અહેવાલ મુજબ તેમણે ગુરુવારે રાત્રે આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રમ્પના આ આદેશને લાગુ થવામાં એક અઠવાડિયા કે એક મહિનો પણ લાગી શકે છે. ટેરિફ ક્યારે લાગુ થશે તેની કોઈ નિર્ધારિત સમયરેખા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકા હવે વેપારમાં કોઈ એકપક્ષીય નુકસાન સહન કરશે નહીં. ટ્રમ્પે કહ્યું કે જો તેમની પાસેથી 100 રૂૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે તો તેઓ તે દેશ પાસેથી પણ 100 રૂૂપિયાનો ટેક્સ વસૂલ કરશે. ટ્રમ્પની જાહેરાતથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ભારત પર એ જ ટેક્સ લાદશે જે ભારત દ્વારા લાદવામાં આવે છે. તેમની જાહેરાત અંગે પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. ટ્રમ્પના આ નિવેદનને ભારત સહિત ઘણા દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેની વેપાર સંબંધો પર મોટી અસર પડી શકે છે.

મોદીની હાજરીમાં તહવ્વુર રાણાને ભારતને સોંપવાની ટ્રમ્પની મંજૂરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણની જાહેરાત કરી અને કહ્યું કે તે ભારતમાં ન્યાયનો સામનો કરશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મારી સરકારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સંબંધમાં દોષિત અને વિશ્વના સૌથી દુષ્ટ માણસોમાંના એક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, જેથી તે ભારતમાં ન્યાયનો સામનો કરી શકે. તે હવે ભારત પરત ફરી રહ્યો છે, જ્યાં તે ન્યાયનો સામનો કરશે. ટ્રમ્પે કહ્યું, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને વિશ્વભરમાં ઉગ્રવાદી ઇસ્લામિક આતંકવાદના ખતરાનો સામનો કરશે જેવો પહેલા ક્યારેય થયો ન હતો.

મોદી મારા કરતાં વધુ ટફ નેગોશિએટર: ટ્રમ્પે પ્રશંસાના પુષ્પો વરસાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતમાં સારું કામ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે મોદીને મહાન નેતા પણ ગણાવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, પવડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા કરતા વધુ કઠિન વાટાઘાટકાર છે. તેની અને મારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. તે મારા કરતા ઘણો સારો છે. ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને ગળે લગાવ્યા. તેમને પોતાના સારા મિત્ર ગણાવતા તેમણે કહ્યું કે મોદી વધુ સારા અને કઠિન વાટાઘાટકાર છે. પરંતુ, તેમ છતાં, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ ભારતને ઊંચા ટેરિફમાંથી છટકી જવા દેશે નહીં.

બાંગ્લા દેશ સાથે શું કરવું તે ભારત નક્કી કરશે: અમેરિકાની ભૂમિકા નહીં
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બાંગ્લાદેશ મુદ્દે મોટી ચર્ચા થઈ હતી. અહેવાલ છે કે ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિમાં અમેરિકાની ભૂમિકાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. આ ઉપરાંત દેશને લગતો નિર્ણય પણ મોદી પર છોડવામાં આવ્યો છે. ભારતીય પીએમે રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી છે. મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર અને સંબંધો પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, પહું બાંગ્લાદેશનો મુદ્દો પીએમ મોદી પર છોડી દઉં છું. ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિંસક વિરોધ બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. તેણે પોતે પણ દેશ છોડીને ભાગી જવું પડ્યું. આ પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે એક તરફ યુનુસને અમેરિકન નેતા હિલેરી ક્લિન્ટનના નજીકના માનવામાં આવે છે. તે જ સમયે, ટ્રમ્પ અને તેણી એકબીજાને ખૂબ પસંદ કરતા નથી. યુનુસે ટ્રમ્પ જ્યારે પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ટીકા પણ કરી હતી.

 

 

 

Tags :
Donald Trumpindiaindia newspm modi
Advertisement
Next Article
Advertisement