ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેલમાં મને કંઈ થાય તો તેના માટે આર્મી ચીફ મુનીર જવાબદાર: ઈમરાન

11:36 AM Jul 17, 2025 IST | Bhumika
Advertisement

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) 5 ઓગસ્ટથી દેશભરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન શરૂૂ કરવા જઈ રહી છે, જેના હેઠળ શાહબાઝ શરીફ સરકાર અને લશ્કરી સંસ્થાન પર ખાનને મુક્ત કરવા માટે દબાણ લાવવામાં આવશે. લાંબા સમયથી જેલમાં રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો જેલની અંદર તેમને કંઈ થશે તો તેના માટે આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર જવાબદાર રહેશે.

Advertisement

ઈમરાન ખાનની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના દિવસોમાં જેલમાં મારી સાથે થતી ક્રૂરતામાં વધારો થયો છે. મારી પત્ની બુશરા બીબી સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમના સેલમાં ટેલિવિઝન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમને બંનેને અમારા માનવીય અને કાનૂની અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. જે બધા કેદીઓને આપવામાં આવે છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન ખાને દાવો કર્યો હતો કે તેઓ જાણે છે કે એક કર્નલ અને જેલ સુપરિન્ટેન્ડેન્ટ અસીમ મુનીરના આદેશ પર કામ કરી રહ્યા છે . હું મારી પાર્ટીને સ્પષ્ટ સૂચના આપું છું કે જો મને જેલમાં કંઈ થશે તો અસીમ મુનીર સીધા જવાબદાર રહેશે. તેમણે વધુમાં કહ્યું કે હું આખી જિંદગી જેલમાં વિતાવવા તૈયાર છું પણ સરમુખત્યાર સામે ઝૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. પાકિસ્તાનના લોકોને મારો સંદેશ એ છે કે કોઈ પણ સંજોગોમાં તેઓએ દમનકારી વ્યવસ્થા સામે ઝૂકવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં હવે આ શાસન સામે દેશવ્યાપી વિરોધ શરૂૂ કરવાનો સમય આવી ગયો છે.

Tags :
Army Chief MunirImran Khanpakistanpakistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement