For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજથી હોળાષ્ટક શરુ, ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

10:17 AM Mar 16, 2024 IST | Bhumika
આજથી હોળાષ્ટક શરુ  ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Advertisement

આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે.

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ નહીં

Advertisement

- હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવતી નથી.

- હોળાષ્ટકના 8 દિવસમાં કોઈનો સંબંધ નક્કી કરવો જોઈએ નહીં અને લગ્ન જેવા માંગલિક કાર્યોની પણ મનાઈ હોય છે.

- ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્ય પણ હોળાષ્ટકમાં ભૂલીને પણ કરવા જોઈએ નહીં.

હોળાષ્ટકમાં શું કરવુ જોઈએ

- હોળાષ્ટકમાં 8 દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે આ 8 દિવસમાં કુળદેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ.

- કહેવાઈ છે કે હોળાષ્ટકમાં દાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે.

- હોળાષ્ટકમાં ભગવાન શિવની વિધિસર પૂજા કરવી જોઈએ. તેનાથી આવનારી મુશ્કેલીઓને ટાળી શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement