પાકિસ્તાનમાં ભારે વરસાદથી ખાનાખરાબી: 29નાં મૃત્યુ
11:50 AM Mar 04, 2024 IST | admin
પાકિસ્તાનમાં છેલ્લા 48 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ રવિવારે મીડિયાને આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદને કારણે અનેક મકાનો પડી ગયા અને ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતમાં ભારે વરસાદથી વધુ અસર થઇ છે.
Advertisement
તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવારે રાતથી ખૈબર પખ્તુનખ્વામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 23 લોકોના મોત થયા છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં પૂરને કારણે પાંચ લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતના દરિયાકાંઠાના શહેર ગ્વાદરમાં પૂરમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ લગભગ 10 હજાર લોકોને બોટ દ્વારા બહાર કાઢ્યા હતા.
Advertisement
Advertisement