વાલ્મિકી વાસમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
દારૂ પીવાની ટેવના કારણે પરિવાર છોડીને ચાલ્યો જતાં આપઘાત કર્યાનું સ્યૂસાઇડ નોટમાં ખુલ્યું
જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસ માં રહેતા એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે દારૂૂ પીવાની ટેવ વાળો હોવાથી પરિવાર છોડીને ચાલ્યો જતાં આ પગલું ભરી લીધેલું અને પરિવારની માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વાલ્મિકી વાસમાં રહેતા કારાભાઈ બાબુભાઈ વાઘેલા નામના 40 વર્ષ ના યુવાને આજે બપોરે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે પોલીસને જાણ થતાં સીટી સી. ડિવિઝન ના એએસઆઈ ફિરોજભાઈ દલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મૃતકના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરિવારજનોની માફી માંગી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોતે દારૂૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી તેનો પરિવાર છોડીને ચાલ્યો ગયો હતો, અને એકલવાયું જીવન જીવતો હતો. જે જીવનનો અંત લાવી દેવા માટે આ પગલું ભર્યું હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે.