રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘તારી પત્નીએ મારી પત્ની સાથે ઝઘડો કરેલ છે, આજે તને પતાવી દેવો છે’, કહી યુવાન ઉપર છરી વડે ખૂની હુમલો

04:36 PM Jul 25, 2024 IST | admin
Advertisement

નેહરુનગરનો યુવાન ખીજડાવાળા રોડ પર પાનની દુકાને હતો ત્યારે ત્રણ શખ્સો તૂટી પડયા: ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો

Advertisement

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ખીજડાવાળા રોડ પર યુવાન મિત્ર સાથે ઉભો હતો. ત્યારે ત્રણ શખ્સોએ આવી તારી પત્નીએ મારી પત્ની સાથે ઝઘડો કરેલ છે, આજે તને પતાવી દેવો છે’ કહી છરી વડે ખૂની હુમલો કરતા ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસે હત્યાનો પ્રયાસ, ખૂનની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર નહેરૂનગર શેરી નં.4માં રહેતા કરણ જીલુભાઇ કુંભારવાડીયા (ઉ.વ.24) નામના યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિપુલ પ્રવિણ બગથરીયા, મિત ઉર્ફે ભાજી રાજુભાઇ ખગ્રામ અને અભિષેક ઉર્ફે અભલો બાડોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તે બીકોમનો અભ્યાસ કરે છે તથા છૂટક મજૂરી કરે છે. એકાદ મહિના પહેલા વિપુલની પત્નીએ તેના ઘરે આવી તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેનો ખાર રાખી ગઇ કાલે રાત્રે તે ખીજડાવાળા રોડ પર પાનના ગલ્લે ફાકી ખાવા ગયો હતો. ત્યારે ત્રણેય આરોપીઓ ઘસી આવ્યા હતા અને વિપુલે તારી પત્નીએ મારી પત્ની સાથે અગાઉ ઝઘડો કરેલ છે, આજે તને પતાવી દેવો છે’ કહી માથાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્રણેય શખ્સો હુમલો કરી ત્યાથી નાશી છૂટ્યા હતા.

જેથી ઇજાગ્રસ્ત કરણ બોરીચાને ગંભીર હાલતમાં સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તેને માથામાં 10થી 12 ટાંકા આવ્યા હતા. આ અંગે માલવિયાનગર પોલીસે ઇજાગ્રસ્ત કરણ બોરીચાની ફરિયાદ પરથી હુમલાખોર ત્રણેય આરોપીઓ સામે હત્યાની કોશિષ, ખૂનની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીઆઇ જે.આર.દેસાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Next Article
Advertisement