રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમ

11:45 AM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂૂણી પોતાના ઘેર બાથરૂૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં નગરપાલિકા ની કચેરીના પાછળના ભાગમાં રહેતી અફરોજાબેન અશરફભાઈ સમા નામની 16 વર્ષની તરુણી કે જે ગઈકાલે પોતાના ઘેર બાથરૂૂમમાં નહાવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીને બાથરૂૂમમાં એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેણી બેશુદ્ધ બની હતી. આથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા સરફરાજભાઈ મોહમ્મદભાઈ શમા એ પોલીસને જાણ કરતાં કાલાવડના એ. એસ. આઈ. વી.ડી.ઝાપડિયા સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

--

 

Tags :
gujarat newsKalavadKalavad news
Advertisement
Next Article
Advertisement