ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
01:35 PM Sep 30, 2025 IST | Bhumika
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો
Advertisement
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર, કે જેની 17 વર્ષીય પુત્રી ધીર્યા તેરસિંહ આદિવાસીએ ગઈકાલે પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતક ના ભાઈ પગલીયા ભાઈ તેરસિંગભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા બનાવના સ્થળે દોડી ગયા હતા અને એના મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર મામલામાં તપાસ શરૂૂ કરી હતી પોલીસની પૂજ પર જ દરમિયાન મૃતકારોની કે જેને વાડીમાં કામ કરવા બાબતે તેના ભાઈએ ઠપકો આપ્યો હતો, અને તેણી ગરબી જોવા ચાલી જતી હોવાથી ગરબી જોવા જવાની ના પાડતાં માઠું લાગી આવ્યું હોવાથી ઝેર પી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
Advertisement
Advertisement