ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

12:07 PM Jan 04, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ યાસીનબાગ ફ્લેટ નં.303 માં રહેતા અમીર સોહિલ અજીજભાઈ ચૌહાણ ( ઉં. વ.28 ) એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જ્યાં તેમનુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ જીનિંગમાં આધેડે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી જાતે સળગી જતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રિના મોત થયું હતું.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના ભૂતેશ્વર, વડલીમાં રહેતા આધેડ પ્રવીણચંદ્ર રેવાશંકર જોશી ( ઉં.વ.55 ) આશા કોટન જીનિંગમાં કોઈ કારણોસર પોતાની જાતે પેટ્રોલ છાંટી સળગી જતા તેમને સારવાર અર્થે પ્રથમ મહુવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newssuicide
Advertisement
Advertisement