ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ

05:18 PM Jul 29, 2025 IST | Bhumika
oplus_32
Advertisement

પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે

Advertisement

શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા પરિણેલા યુવાને ફિનાલઇ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની અવર નવાર ઝઘડા કરતી હોવાથી છૂટાછેડાનુ કહેતા સસરાએ છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા તેણે આ પગલું ભરી લીધુ હતુ.

જાણવા મળતી વિગત મુજબ પરાપીપળીયા ગામે આવેલી એકતા સોસાયટીમાં રહેતા જયેશ વિનોદભાઇ ગોહેલ (ઉવ.26) નામના યુવાને આજે સવારે તેના ઘરની પાછળ આવેલા ગાઉન્ડમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જયેશ ઇમીટેશનનુ કામ કરે છે. તેના લગ્ન પાંચ મહિના પહેલા થયા છે. પત્ની ટવીંકલ અવાર નવાર ઘરમાં ઝઘડા કરતી હોય જેથી છૂટાછેડા લેવાનુ કહેતા તેના સસરાએ 10 લાખ આપતો છૂટાછેડા કરી દઉ તેમ કહેતા યુવાને આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement