રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પતિના મિત્રએ પ્રેમજાળમાં ફસાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

04:56 PM Jul 22, 2024 IST | admin
Advertisement

પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવી બે વર્ષ સબંધ રાખી બદનામ કરતો હોવાનો આક્ષેપ

Advertisement

શહેરમાં કાલાવડ રોડ ઉપર પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને પતિના પ્રેમીઓ પ્રેમજાળમાં ફસાવી છુટાછેડા લેવડાવી બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવી ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ ફીનાલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર રહેતી 27 વર્ષની પરિણીતા પોતાના ઘર ઘરે હતી. ત્યારે રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં ફીનાલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર 27 વર્ષની પરિણીતાએ જણાવ્યું હતું કે તેણીએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન બાદ પતિના મિત્રએ તેણીને પ્રેમ જાળમાં ફસાવી ત્રણ માસ પહેલા જ છુટાછેડા લેવડાવી લીધા હતા અને છેલ્લા બે વર્ષથી પ્રેમજાળમાં ફસાવી પતિના મિત્રએ હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા એક માસથી સબંધ ટૂંકાવી લીધા હોવા છતાં ત્રાસ ગુજરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી પરિણીતાના આક્ષેપોને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement