ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઇલ પીધું

04:39 PM May 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ભકિતનગર સ્ટેશન પ્લોટમા ગોડાઉન રોડ પર કલ્યાણ સોસાયટી શેરી નં.1માં રહેતી આરતી સંતોષભાઇ જાદવ (ઉવ.24) નામની પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે. આજે સવારે ચા બનાવવા બાબતે પતિ સાથે ઝઘડો થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Advertisement

જયારે બીજા બનાવમાં શાપર વેરાવળમાં કારખાના રહેતી અંજલી બ્રિજેન રાજપૂત (ઉ.વ.14)નામની સગીરાએ આજે સવારે પોતના ઘરે ઓરડીમાં હતી ત્યારે માથા નાખવાની મહેંદી પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેની મોટી બહેન પ્રીંયકા સાથે કામ બાબતે બોલાચાલી થતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement