ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ

04:38 PM Jul 30, 2025 IST | Bhumika
Advertisement

અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર મારી એક મહિનાથી ઘરેથી કાઢી મૂકી હતી અને બે દિવસ પહેલા પતિ કૌટૂંબીક સાળીને ભગાડી ગયો હોય જેના કારણે આ પગલુ ભરી લીધુ હતુ.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ હાલ મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં માવતરે રહેતી કંચનબેન આશિષભાઇ જેઠવા (ઉ.વ.27)નામની પરિણીતાએ આજે સવારે બ્લીચીંગનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન 11 વર્ષ પહેલા હતા તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પતિ અવાર નવાર શંકા કરી માર મારતો હોય એક મહિના પહેલા તેને માર મારી કાઢી મૂકતા તેણી માવતરે રહેતી હતી. પરિણીતાના પિતા બાબુભાઇ લઢેરના જણાવ્યા મુજબ આશીષ જેઠવા તેના ફઇના દીકરાની દીકરીને એટલે કે, કોટૂંબીક સાળીને બે દિવસ પહેલા ભાગાડી ગયો હોય જેના કારણે કંચને આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement