રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પતિ લાપતા થતા પત્નીએ સાસુને માર મારી ગળેફાંસો ખાઇ લીધો

05:57 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પતિ લાપતા થતા પત્નીએ માતા સહિતની મહિલાઓ સાથે મળી સાસુને માર મારી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાસુ અને ગળેફાંસો ખાઈ લેનાર પુત્રવધુને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દૂધસાગર રોડ ઉપર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા દુરબાઈબેન કાળુભાઈ કાટેલીયા નામના 55 વર્ષના પ્રોઢા સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પુત્રવધુ રૂૂકશાનાબેન મિરાજભાઈ કાટલીયા તેની બેન જરૂબેન ભાભી મુસ્કાન અને માતા સહિતની મહિલાઓએ દુરબાઈબેન કાટેલિયા ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં રાત્રીના દસેક વાગ્યાના અરસામાં રુકશાનાબેન મિરાજભાઈ કાટેલીયાએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાસુ અને આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રવધૂને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાથમિક પૂછપરછમાં રૂકશાનાબેન અને મિરાજ કાટેલીયાએ ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પતિ મિરાજ કાટેલીયા રુકશાના ઉપર શંકા કુશંકા કરી છેલ્લા ચાર દિવસથી ઘરેથી લાપતા થયો છે રુકશાનાબેન સહિતના મહિલાઓએ દુરબાઈબેન માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને બાદમાં રૂૂકશાનાબેને ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે રુકશાનાબેને પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement