રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત લથડી? આગાહી ખોટી હોવાની સ્પષ્ટતા

04:00 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

હવામાન વિભાગની આગાહી માટે ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. અંબાલાલ પટેલના ચહેરા પર વેન્ટીલેટરની તસવીર વાયરલ થઈ છે. ત્યારે સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાનો ફોટો વાયરલ થતા ફેક ન્યૂઝ અંગે ખુદ અંબલાલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા, મારી તબિયત સારી છે.

અંબાલાલ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેથી અંબાલાલ પટેલે એક વીડિયો વાયરલ કરી જણાવ્યું કે, તારીખ 05 સપ્ટેમ્બર 2024ના રોજ મારા તબિયત અંગેના એક સમાચાર સાથે ફોટો હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કોઈ તથ્ય નથી.જો કે, તે સમાચાર ખોટા હોવાનું અંબાલાલ પટેલે પોતે જ જણાવ્યું છે.અંબાલાલની તબિયત અંગે અફવાઓનું વાવાઝોડું ફરતું થયું. જોકે, કોરોના સમયની તસવીર વાયરલ થઈ છે. અંબાલાલ પટેલ અંગે સોશિયલ મીડિયામાં અફવાઓ મજબૂત બનતા અંબાલાલ પટેલને ખુલાસો કરવો પડ્યો. અંબાલાલ આઇસીયુમાં હોવાની સોશિયલ મીડિયામાં અફવા અંબાલાલ પટેલે કહ્યું કે, તેઓ એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.

Tags :
Ambalal Patelgujaratgujarat newsWeather expert Ambalal Patel
Advertisement
Next Article
Advertisement