રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન

05:02 PM Oct 14, 2024 IST | admin
Advertisement

દશેરાના પાવન પ્રસંગે ચંદ્રસિંહજી(ભાડવા) સ્ટડી સર્કલના તત્ત્વાવધાનમાં હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, રજપૂત પરા ખાતે રાજકોટ રાજ પરિવારની સવિશેષ ઉપસ્થિતિમાં શસ્ત્ર પુજન કર્યા બાદ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ અને હાથમાં ચમકતી રાજપૂતિ તલવાર સાથે શોભાયાત્રાનો આરંભ થયો હતો.

Advertisement

ઠેરઠેર પુષ્પવર્ષા જીલતી શોભાયાત્રા જ્યારે લાખાજીરાજ માર્ગ પર પહોંચી ત્યારે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ જયદીપસિંહજી જાડેજાએ પ્રાત: સ્મરણીય પુજ્ય લાખાજીરાજ બાપુની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને વંદના કર્યા બાદ શોભાયાત્રા આગળ ધપી હતી જે પેલેસ રોડ સ્થિત રાજકોટ રાજ પરિવારના કૂળદેવી મૉં આશાપુરાના સાંનિધ્યમાં શસ્ત્ર પૂજન સંપન્ન કરીને રણજીત વિલાસ પેલેસ ખાતે પહોંચી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsroyal familyWeapon worship
Advertisement
Next Article
Advertisement