રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જવાહર રોડ પર ઓપેરા ટાવરની ઓરડીમાં ચોકીદારની પત્નીનો આપઘાત

04:17 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના જવાહર રોડ પર આવેલા ઓપેરા ટાવરની ઓરડીમાં ચોકીદારની પત્નીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ મુળ નેપાળના વતની અને હાલ જવાહર રોડ પર ગેલેકસી બિલ્ડીંગની સામે ઓપેરા ટાવરમાં ચોકીદારી કરતા અને એપાર્ટમેન્ટના પાર્કિગમાં આવેલી ઓરડીમાં રહેતા લોકેશ સોનીની પત્ની નિશા (ઉ.વ.25) એ ગઇકાલે સાંજે પોતાની ઓરડીમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાએ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું તથા હજુ 18 દિવસથી અહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement